Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ઉત્તરાખંડના મુખ્યમંત્રી મહેસાણામાં : ઓએનજીસીમાંથી નિવૃત થયેલા મોટાભાઈ અને ભાભીના લીધા આશીર્વાદ

-સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત પારિવારિક મુલાકાત બાદ અમદાવાદમાં ઉધોગકારો સાથે બેઠક પણ કરી

 

અમદાવાદ :ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે મહેસાણાની મુલાકાત લઇ તેમના મોટા ભાઈના આશીર્વાદ લીધા હતા તેમના મોટા ભાઈ મહેસાણામાં .એન.જી.સીમાં હતા હાલમાં રીટાયર્ડ થઇ ગયા છે .

  પ્રસંગે તેમની ભાભીએ તેમના માટે ખીર બનાવી હતી.મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર પોતાના મોટાભાઈના ઘરે પધારતા પરિવારજનોમાં ખુશી છવાઈ હતી ત્રિવેન્દ્રસિંહ રાવતે પોતાના મોટાભાઈ અને ભાભીના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા.

   મહેસાણા ખાતે મોટાભાઈ સાથે પારિવારિક મુલાકાત કરી હતી.પોતાના મોટાભાઈના પરિવાર સાથે થોડો સમય વિતાવ્યા બાદ અમદાવાદ ખાતે ઉદ્યોગકારોને ઉત્તરાખંડમાં આમંત્રણ આપવા ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી હતી.

(11:05 pm IST)