Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

રાજ્યના છ મહાનગરોમાં વિપક્ષ નેતાની પસંદગી માટે કોંગ્રેસની કવાયત

નિરીક્ષકોની નિમણુંક કરાઈ :આગામી દિવસોમાં કાઉન્સીલરોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરાશે

 

અમદાવાદ :રાજ્યના  મહાનગર પાલિકાના વિપક્ષના નેતાની પસંદગી માટે કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરાઈ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકાના વિપક્ષના નેતાની પસંદગી માટે નિરિક્ષકોની નિમણૂંક કરી છે.

 કેટલીક મહાનગર પાલિકાના કાઉન્સીલરોને સાંભળવાની પ્રક્રિયા નિરિક્ષકો દ્વારા કરવામાં આવી છે અને બાકી રહેલી મહાનગર પાલિકાના કાઉન્સીલરોને સાંભળવાની પ્રક્રિયા આવનારા દિવસોમાં હાથ ઘરાશેતેમ જાણવા મળે છે 

(8:56 am IST)