Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

નર્મદા જિલ્લામાં નવા ૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૫ દર્દી સાજા થતા રજા અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૯ પોઝિટિવ કેસ નોંધાયા છે.

નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ અધિકારી ડૉ.આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૮ દર્દી રાજપીપળા તેમજ ૧ ડેડીયાપાડા સહિત કુલ ૯ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૬૭ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૫૯ દર્દી દાખલ છે આજે ૧૫ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૧૫૦ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૨૮૧ એ પોહોચ્યો છૅ.
આજે વધુ ૧૨૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:20 pm IST)