Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ખાનગી શાળાઓને આવકમાં ૫૫ ટકા નુકસાનનો અંદાજ

મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરાઈ : શાળા સંચાલક મંડળ મુજબ ૭ મહિના સુધી સ્કૂલો બંધ રહેતા ફીની આવકમાં ૫૫ ટકાનો ફટકો પડશે તેવો અંદાજ

અમદાવાદ, તા. ૨૪કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર મોટી અસર પડી રહી છે. તેમજ રાજ્ય સરકારના આદેશ પ્રમાણે જ્યાં સુધી સ્કૂલ નહીં ખુલે ત્યાં સુધી ફી નહી વસુલાય તેવા નિર્ણયથી ખાનગી સ્કૂલોના સંચાલકો અને શિક્ષકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય તેવું સામે આવ્યું છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ મુજબ સંભવતઃ મહિના સુધી સ્કૂલો બંધ રહેતા ફીની આવકમાં ૫૫ ટકાનો ફટકો પડશે તેવો અંદાજ છે. સમગ્ર મામલે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે સીએમ રૂપાણીને પત્ર લખીને રજૂઆતો કરીછે. રાજ્ય સરકારે ફી વસૂલવા માટે મનાઈ ફરમાવતા ખાનગી શાળાઓના કેટલાય શિક્ષકો હજી પગારથી વંચિત છે. ઘણાને બે મહિનાથી પગાર નથી મળ્યો તો કેટલાકને નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. શાળા સંચાલકે મંડળે પત્ર લખીને શાળાના શિક્ષકોને પગાર ચૂકવવા માટે સરકારે લોનની વ્યવસ્થા કરે તેવી પણ માંગણી કરી છેશાળા સંચાલક મહામંડળના પ્રમુખે પત્રમાં જણાવ્યું કે, સરકારના ઠરાવ મુજબ સંભવત્ મહિના સુધી ફી મળવાની નથી.

શાળા-સંચાલક મંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી

*          શાળાઓને પગાર કરવા લોનની વ્યવસ્થા કરવાની માંગણી કરી.

*          ચાલુ શૈક્ષણિક વર્ષે કોઈ ફી વધારો કરવાથી ફીની આવકથી શાળાઓને ૫૫ ટકા ફી ઓછી મળશે તે નક્કી.

*          હાલની સ્થિતિને જોતા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓેને નોકરીમાંથી છૂટા કરાશે તેવો ભય પેદા થયો.

*          સરકારના નિર્ણયથી અનેક યુવાનો બેરોજગાર બનશે.

*          ખાનગી શાળાઓ પગાર, EPF, ગ્રેજ્યુટીનો ખર્ચ ફીમાંથી કરતો હોવાથી હાલત વધુ કફોડી બનશે.

*          સરકારે ખેડૂત, શ્રમિક, નાના વેપારીઓ-કારખાનેદારો માટે જાહેર કરેલી આત્મનિર્ભર યોજનાની જેમ કોઈ યોજના લાગુ કરવી જોઈએ.

*          સરકારે જે શાળા પાસે હાલમાં આર્થિક ભંડોળ નથી તેમના કર્મચારીઓના પગાર માટે લોનની વ્યવસ્થા કરવી જોઈએ.

(10:24 pm IST)