Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

વડોદરાના મકરપુરામાં માતાના મૃત્યુથી એકલતા અનુભવતા પુત્રએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

વડોદરા: શહેરના મકરપુરામાં માતાનું હાર્ટએટેકથી  મોત થયા પછી એકલતા અનુભવતો પુત્ર સતત તણાવમાં રહેતો હતો. ગત રાત્રે પુત્રે ઘરે જ પ્લાસ્ટિકની  દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દંતેશ્વર વુડાના મકાનમાં રહેતા મિતેશ ભીખાભાઈ ચૌહાણ (ઉ.વ.૩૭) છુટક  મજૂરી કામ કરે છે. મિતેશના લગ્ન થઈ ગયા હતા. પરંતુ તેની પત્ની પિયરમાં જતી રહી હતી. વુડાના મકાનમાં માતા અને પુત્ર રહેતા હતા. ૧૫ દિવસ પૂર્વે મિતેશના માતાને હાર્ટએટેક આવતાં તેમનું અવસાન થયું હતુ. માતાના અવસાન પછી મિતેશ એકલો પડી ગયો હતો. મિતેશની મનોદશા જાણીને તેની પરિણીત બહેન ભાઈના ઘરે જ રહેતી હતી. બે દિવસ પૂર્વે જ મિતેશની બહેન સાસરીમાં ગઈ હતી. અને રાત્રે નવ વાગ્યે તેને ભાઈ મિતેશ સાથે મોબાઈલ પર વાત પણ કરી હતી. આજે સવારે ૧૦ વાગ્યે મિતેશના બહેન બનેવી મિતેશના ઘરે આવ્યા અને જોયું તો મિતેશ પંખા પર લટકતો હતો અને ટી.વી. ચાલુ હતુ. જેથી તાત્કાલિક મિતેશને નીચે ઉતાર્યો હતો. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત થયું હતુ.

(5:24 pm IST)