Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સમાજના તમામ વર્ગના ઉત્કર્ષ માટે નરહરિ અમીનનું યોગદાન

દશકોશી વિદ્યામંડળ અને સેવા સમાજ દ્વારા અભિનંદન અને વડાપ્રધાનને આભાર પત્ર

રાજકોટ, તા. ર૪ : દશકોશી સેવા સમાજ એલીસબ્રીજ અમદાવાદના પ્રમુખ વિજય અમીન અને દશકોશી વિદ્યામંડળના પ્રમુખ સી.પી. પટેલે શ્રી નરહરિ અમીનને શ્રેષ્ઠ સમાજ સેવક ગણાવી તેમને રાજયસભાના સભ્ય બનાવવા બદલ વડાપ્રધાનને સંબોધીને પત્ર લખ્યો છે.

તેમણે પત્રમાં જણાવ્યું છે કે શ્રી નરહરિભાઇ અમીન માત્ર પાટીદાર સમાજના જ નહિ પરંતુ સમાજના તમામ વર્ગના સર્વાંગી વિકાસ માટે ચિંતિત રહીને વર્ષોથી જાહેર જીવનમાં સતત સક્રિય ભૂમિકા પ્રદાન કરતા રહ્યા છે. આવા ઉમદા આગેવાન અને સમાજના મોભીની યર્થાત રીતે આપે કરેલ પસંદગી માટે અમો (દશકોશી લેઉવા પટેલ) આપના હરહંમેશ રૂણી રહીશું. રાજય અને દેશના સર્વાંગી વિકાસ અને રક્ષા માટે આપના અથાગ અને અવિરત પ્રયાસોને અમારો ટેકો રહેશે.

(1:07 pm IST)