Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

દરગાહમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાઃ મૌલવી સહિત ૧૨ લોકોની અટકાયતઃ સોમવતી અમાસે રિવરફ્રન્ટ ઉપર પઅન પૂજા અર્ચના માટે એકત્ર થયા, પંડિત સહિતના લોકોની અટકાયત

સોશ્યલ ડીસ્ટન્સનો ખુલ્લામાં ભંગઃ ડીસીપી પ્રવીણ મલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે

અમદાવાદ : ગઈકાલે ઉસ્માનપુરા વિસ્તારમાં દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાનાં કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. કંટ્રોલમાં જાણ થતા પોલીસ કાફલો ઘટના દોડી ગયેલ.

 દરગાહ ખાતે લોકોનાં ટોળાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. જેમાં કેટલાક માસ્ક પણ નહોતો પહેર્યો તો સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાનું જણાય છે.  DCP ઝોન ૧ પ્રવીણ મલે જણાવ્યું કે, દરગાહમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હોવાની માહિતી મળતા મૌલવી સહિત ૧૨ની અટકાયત કરી છે. 

 આ સોમવતી અમાસે સાબરમતી રિવરફ્રન્ટ પર ધાર્મિક અનુષ્ઠાન કરવા માટે પણ પુજારીઓ અને મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા. પોલીસ દ્વારા પંડિત સહિતનાં લોકોની અટકાયત કરવામાં આવી હતી.

(11:39 am IST)