Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા બહાર પડાયેલા જાહેરનામામાં અંશતઃ ફેરફાર

અન્ય જિલ્લા કે રાજ્યને બદલે જિલ્લામાં સ્થાયી થવાના હેતુથી આવતા લોકો એમ સુધારો જાહેર

વલસાડઃ વલસાડ જિલ્લા મેજીસ્‍ટ્રેટ આર.આર.રાવલ દ્વારા નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્‍ટની કલમ-૩૪ અને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ ૧૪૪ અન્‍વયે મળેલી સત્તાની રૂએ કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવાના ભાગરૂપે અગાઉ જારી કરાયેલા જાહેરનામામાં અંશતઃ સુધારો કરતાં ‘વલસાડ જિલ્લામાં અન્‍ય જિલ્લા કે અન્‍ય રાજ્‍યમાંથી ધંધો/ રોજગારી/ મજૂરી અર્થે આવતા લોકો' બદલે ‘વલસાડ જિલ્લામાં અન્‍ય જિલ્લા કે રાજ્‍યમાંથી ધંધો/રોજગારી/ મજૂરી/ રહેઠાણ અર્થે આ જિલ્લામાં સ્‍થાયી થવાના હેતુથી આવતા લોકો' એમ  સુધારા જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે. આ જાહેરનામાની અન્‍ય વિગતો યથાવત રહેશે.

(10:34 pm IST)