Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સુરતીઓ પ્લાઝમા ડોનેશનમાં પણ મોખરે : કોરોના મુક્ત 117 વ્યક્તિઓએ પોતાના પ્લાઝમા ડોનેટ કર્યા

આ પ્લાઝમાં થકી 162 કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર શક્ય બની

સુરત : શહેરની નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાંથી કોરોના મુક્ત 117 વ્યક્તિઓએ પોતાનાં પ્લાઝમા ડોનેટ કર્યા છે. આ પ્લાઝમાં થકી 162 કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર શક્ય બની છે. જે પૈકી નવી સિવિલમાં 56 ડોનરો થકી 87 દર્દીઓને જ્યારે સ્મિમેર હોસ્પિટલમાં 61 ડોનરો થકી 75 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

સ્મીમેર હોસ્પિટલમાં ડોનેટ થયેલા 96 પ્લાઝમાનો ઉપયોગ ખાનગી તથા સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ માટે કરવામાં આવ્યો છે. જેમાં સ્મીમેરના 11 દર્દીઓ પ્લાઝમાં થકી સાજા થયા. જ્યારે 20 દર્દીઓની સ્થિતી સુધરી છે. અન્ય ખાનગી હોસ્પિટલને પણ પ્લાઝમાં આપવામાં આવી છે.

(8:57 am IST)