Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કંપની પ્રદુષણ ફેલાવતી હોઈ ડિરેકટર પદ રદ કરવા માંગ

પાદરાના ધારાસભ્યનો મુખ્યમંત્રીને પત્ર

અમદાવાદ, તા.૨૩ : વડોદરા એન્વાયરો ચેનલ લી.માં સરકાર નોમીનેટ ડિરેકટર અને મે.કીરી. ઈન્ડસ્ટ્રીઝ લી.ના શંકરભાઈ પટેલની કંપની પ્રદુષમ કરતી હોવાથી ડિરેકટર પદેથી દુર કરીને કંપની બંધ કરાવીને ફોજદારી રાહે પગલાં લેવાની માંગણી પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કરી છે.

પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દુધવાડા ગામમાં આવેલી કિરી ડાયઝ એન્ડ કેમિકલ પ્રા.લિ. દ્વારા ગેરકાયદેસર કેનલમાં અને જમીનના તળમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાથી કંપની સામે પગલાં ભરી શંકરભાી પટેલ જે કંપનીના ડિરેકટર તરીકે નિમણૂંક સરકારે વડોદરા એનવાયરો ચેનલ લિ.માં કરી છે. જેને માથે ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પામી નિકાલ થતું રોકવાની જવાબદારી છે તે શંકરભાી પટેલ જે કંપનીના ડાયરેકટર છે તે કંપનીની જ બીજા ડાયરેકટર છે તેવી વડોદરા એનવાયરો ચેનલ લિ.ની ચેનલમાં ગેરગેયદેસર પાણી છોડે છે.

(8:59 am IST)