Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાજપીપળા ગાર્ડનમાં ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસે ભાજપ કાર્યકરો દ્વાર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  રાજપીપળા ગાર્ડનમાં તા.23 જૂને સવારે 10 કલાકે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસ નિમિત્તે ભાજપ કાર્યકરો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં રાજપીપળા શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ,મહામંત્રી રાજેન્દ્ર પટેલ, અજિત પરીખ,ભારતીબેન તડવી, કમલેશ પટેલ,મનીષાબેન ગાંધી સહિતના કાર્યકરો તથા પાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સહિત અન્ય પાલીકા સદસ્યો તેમજ નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

(1:14 am IST)