Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

રાજીનામાની સિસ્ટમમાં વાઘેલા 'ફીટ': બોસ્કી

NCPના પ્રદેશ પ્રમુખે શંકરસિંહના રાજીનામા અંગે આપી તીખી પ્રતિક્રિયા

અમદાવાદ,તા.૨૪: ખજૂરાહો કાંડથી રાજકારણમાં હંમેશા ચર્ચામાં રહેતા શંકરસિંહ વાઘેલા પક્ષ પલટો કરીને છેલ્લે NCPમાં ગયા હતા ત્યાં પણ હવે રાજીનામા આપી દીધું છે. હવે નવો પક્ષ બનાવવાની દિશામાં તેઓ કામ કરી રહ્યા છે. ત્યારે બાપુના NCPમાંથી રાજીનામા મામલે NCPના નવા પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતુ કે, બાપુ રાજીનામા આપવાની સિસ્ટમમાં ફીટ બેસી ગયા છે.

ગુજરાત પ્રદેશ એનસીપીનાં પ્રમુખપદેથી શંકરસિંહ વાઘેલાને ખસેડીને જયંત પટેલને પુનઃ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવતા શંકરસિંહ વાઘેલાએ એનસીપીનીમાંથી રાજીનામું આપી દઇ નવો પક્ષ રચવાની જાહેરાત કરતા જયંત બોસ્કીએ પ્રતિક્રિયા આપતા શંકરસિંહ વાઘેલા રાજીનામાની સિસ્ટમમાં ફીટ થઇ ગયા હોવાનું  જણાવ્યું હતું.

એનસીપી પ્રદેશ પ્રમુખ પદે જયંત પટેલ બોસ્કીની નિમણૂક થયા બાદ શંકરસિંહ વાઘેલાએ પક્ષમાંથી રાજીનામું આપતા જે અંગે પ્રતિક્રિયા આપતા જયંત બોસ્કીએ કહ્યું હતું કે શંકરસિંહ વાઘેલા જે પક્ષમાં જાય છે તે પક્ષમાંથી તેઓ રાજીનામું જ આપે છે.તેઓએ અગાઉ ભાજપમાંથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસમાં જોડાયા. ત્યારબાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી એનસીપીમાં જોડાયા અને હવે એનસીપીમાં પણ રાજીનામું આપી દીધું છે.

(12:56 pm IST)