Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

રાજ્યમાં કોરોનાના નવા કેસની સરખામણીએ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા ત્રણ ગણી

નવા કેસ 3187 સામે 9305 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : મહાનગરોમાં સતત ઘટતા કેસથી રાહત

અમદાવાદ : રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 3,187 નવા કોરોના કેસ સામે આવ્યા છે જયારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 68,971 છે રાજ્યમાં નવા કેસની સરખામણીએ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા ત્રણ ગણી છે આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 9,305 છે.

  રાજ્યના મહાનગરોમાં કોરોના કેસ સતત ઘટી રહ્યાં છે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 459 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 181 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 86 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 337 કેસ, જ્યારે ગ્રામ્યમાં 118 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 152 કેસ અને ગ્રામ્યમાં 123 કેસ નોંધાયા છે.

(8:19 pm IST)