Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

વડોદરાના નાગરવાડા સહીત સોમા તળાવ વિસ્તારને નિશાન બનાવી તસ્કરોએ 6 લાખની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા નવીધરતી ગોલવાડ માં જુના સ્લમ ક્વાર્ટર્સ નજીક રહેતા આરતી બહેન ગઈકાલે કામ અર્થે મકાનને તાળું મારી બહારગામ ગયા હતા. જયાંથી આજે સવારે પરત ફરતા મકાનનું તાળું તૂટેલું જોઈ ચોંકી ઉઠયા હતા. અને ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર નજરે ચડયો હતો અને તિજોરીનુ તાળુ તોડી અજાણ્યા તસ્કરો રૂપિયા દોઢ લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા ચોરી ફરાર થઇ ગયા.

વડોદરા શહેરના સુલતાનપુરા વિસ્તારમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો સોના ચાંદીના દાગીનાના કારખાનાને નિશાન બનાવી અંદાજે 4 લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીનાની  ચોરી કરી ફરાર થઈ જવાનો ટાઇ બનાવ વાડી પોલીસ મથકે નોંધાયો છે. ચોરીની એમઓ જોતાં જાણભેદુ હોવાની શંકા પોલીસે ઉપજાવી છે

વડોદરા શહેરના સોમા તળાવ એમ.એમ.વ્હોરા શોરૂમ સામે વૈષ્ણવી પાર્ક સોસાયટીમાં રહેતા શ્રીકાંત તુંગ સુલતાનપુરા ગોલવાડ સુરપણેશ્વર કોપ્લેક્સમાં સોના ચાંદીના દાગીનાના બનાવવાનું કારખાનું ધરાવે છે ગઈકાલે સાંજે તેઓ કારખાનું બંધ કરી ઘરે પહોંચ્યા હતા અજાણ્યા તસ્કરો બારીની ગ્રીલ કાઢી કારખાનામાં પ્રવેશ્યા હતા અને ડ્રોવરમાં મુકેલી ચાવી વડે લોકર ખોલી સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

 

(5:38 pm IST)