Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

અમદાવાદના ઓઢવ રિંગરોડ નજીક બાઈક પર જઈ રહેલ આધેડને આઇસરે હડફેટે લેતા સારવાર દરમ્યાન મોત

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં બેફામ વાહન હંકારવાના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે,મણિનગરમાં રહેતા આધેડ બાઇક લઇને ગઇકાલે બપોરે ઓઢવ રિંગ રોડ, વસ્ત્રાલથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે પૂર ઝડપે આવી રહેલી આઇસર ટ્રકના ડાઇવરે બાઇકને જોરદાર ટક્કર મારી હોવાથી સારવાર  દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.બાઈક  લઇને  જતા મણિનગરના આધેડને  મોતને ઘાટ ઉતારી ટ્રકનો ડ્રાઇવર ફરાર થઇ ગયોઆ કેસની વિગત એવી છે કે  મણિનગર વિસ્તારમાં સેવન્ડે સ્કૂલ પાછળ મનોહરકુંજ ડુપ્લેક્ષમાં રહેતા અન સેટેલાઇટમાં આવેલી શાંતિનકેતન સ્કૂલમાં એડમીન વિભાગમાં મેનેજર તરીકે નોકર કરતા રાજુભાઇ ચૈત્રામભાઇ નિકમ (..૫૫) ગઇકાલે બપોરે ૧૨ વાગે થોડીવારમાં આવું છું કહીને બાઇક લઇને  કામથી બહાર ગયા હતા જ્યાં તેઓ ઓઢવ રિંગ રોડ વસ્ત્રાલ વિસ્તારમાં ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટ પાસેથી પસાર થતા હતા સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલી આઇસર ટ્રકના ચાલકે પોતાના વાહનના સ્ટિંયરીંગ પરનો કાબુ ગુમાવતાં બાઇકને ટક્કર મારી હતી જેથી આધેડ રોડ પર પટકાયા હતા. તેઓને ગંભીર હાલતમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયન મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ દ્વારા  ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે ફરાર આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

(5:20 pm IST)