Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

અમદાવાદની ઉમ્મત માનવતા ટ્રસ્ટ દ્વારા સેવાકાર્યઃ ખાદ્યસામગ્રી મોકલાઈ

(કેતન ખત્રી), અમદાવાદઃ તાજેતરમાં ગુજરાતમાં આવેલ તોકતે વાવાઝોડામાં ઉના અને તેની આસપાસના વિસ્તારમાં થયેલ તારાજીમાં સ્થાનિક લોકોની મદદ માટે અમદાવાદ શહેરમાં આવેલ ઉમ્મત માનવતા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૫ ટન ખાદ્ય સામગ્રી (જેમા અનાજ, તેલ, ચા, ખાંડ, બિસ્ટીટ, વેફર, સેવ- મમરા, બેકરી આઈટમ) ૧૦,૦૦૦નંગ પાણીની બોટલ તથા જનરેટર દ્વારા તૌફીક મનસુરી, ઈરફાન મનસુરી, અનવર શેખ, ફિરોઝ ખાન તથા ડો.અકરમ મસાવાલાની આગેવાનીમાં અકે મેડિકલ ટીમ પણ દવાઓના જથ્થા સાથે મોકલવામાં આવ્યું. જેને શાહપુર પોલીસ  સ્ટેશનના પી.આઈ. આર.એચ. વાળાએ ફલેગ બતાવીને રવાના કરી હતી.

(3:46 pm IST)