Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

નર્મદા જિલ્લામાં રવિવારે ૪૦ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૪૧૦૨ પર પહોંચ્યો ફોટો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે ૪૦ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં સંતોષ નગર ૦૧, એચપી મહેતા કોમ્પ્લેક્સ ૦૧, સોનીવાડ ૦૧, હરસિદ્ધિ નગર ૦૨, શક્તિવિજય ૦૧ તથા નાદોદ તાલુકામાં રાજપરા ૦૧, માંગરોલ ૦૧, રામપરા ૦૨, સિસોદ્રા ૦૧, નવાપરા ૦૧, કાંદરોજ ૦૧, નાવરા ૦૧, ઉમરવા ૦૧, કરાઠા ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં ભીલવસી  ૦૨, કેવડિયા ૦૧, નવા વાઘપુરા ૦૧, ભૂમાલીયા ૦૧, ખડગદા ૦૨, ગરુડેશ્વર ૦૧ તથા તિલકવાડા તાલુકામાં નાના ગોચારીયા ૦૨, તિલકવાડા ૦૫, વાઘેલી ૦૧, સાહેબપુરા ૦૨, સેવાળા ૦૨, બુજેઠા ૦૪  ડેડીયાપાડા તાલુકામાં એક પણ કેસ નોંધાયેલ નથી, સાગબારા તાલુકામાં એક પણ કેસ નોંધાયેલ નથી  જિલ્લામાં કુલ ૪૦ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૪૧ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૩૯ દર્દી દાખલ છે.આજે ૫૪ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૮૩૧ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૧૦૨ પર પહોચ્યો છે.આજે વધુ ૧૨૮૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(5:39 pm IST)