Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં આગની દુર્ઘટના બાદ મુખ્યમંત્રી વિજયભાઈ નિરીક્ષણ માટે પહોંચ્યા :તલસ્પર્શી માહિતી મેળવી

રાજ્યભરમાં શહેરો-જિલ્લા મથકોએ ફાયર સેફટીની સુવિધા આપણા પ્રબંધનના સાધનો વસાવ્યા છે કે કેમ ?સઘન તપાસના આદેશ

સુરત :સરથાણા જકાતનાકા પાસે આવેલા બિલ્ડીંગમાં આગની દુર્ઘટનામાં 20થી વધુના મોત નીપજ્યાં છે ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે તપાસના આદેશ અપાયા છે. તક્ષશિલા આર્કેડમાં આગ લાગવાની અને લોકોના મોત અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરતમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી આગની દુર્ઘટનાની તલસ્પર્શી માહિતી માટે સુરત પહોંચીને નિરીક્ષણ કરી અને વિગતો મેળવી હતી.

.મુખ્યમંત્રીએ આ ઘટનાને પગલે રાજ્યના મોટા શહેરો તથા જિલ્લા મથકો સુધીના કેન્દ્રોમાં આવેલી હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ અને આપદા પ્રબંધનના સાધનો વસાવવામાં આવ્યા છે કે કેમ ? તેમજ રાજ્ય સરકારના આદેશોનું પાલન થઇ રહ્યું છે કે કેમ તેની સધન તપાસના આદેશો આપ્યા છે

(11:31 pm IST)