Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

2017ની બેચના ગુજરાત કેડરમાં ફાળવાયેલ સાત IAS પ્રોબેશનરી ઓફિસરો મુખ્યમંત્રીની મુલાકાતે

વંચિતો-ગરીબો, છેવાડાના માનવીના ઉત્થાનનું ધ્યેય હૈયે રાખવા અનુરોધ

 

ગાંધીનગર ર૦૧૭ની બેચમાં ગુજરાત કેડરમાં ફાળવાયેલા આઇ..એસ. પ્રોબેશનરી ઓફિસરોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મૂલાકાત લીધી હતી.

  વિજયભાઇ રૂપાણીએ તાલીમી સનદી અધિકારીઓ સાથે રાજ્ય વહીવટમાં સુશાસન-પારદર્શીતા અને સંવેદનશીલતા વિષયક બાબતોનો પરામર્શ કર્યો હતો અને માર્ગદર્શન આપ્યું હત

 તેમણે તાલીમી સનદી અધિકારીઓને તેમના સેવાકાળ દરમ્યાન વંચિતો-ગરીબો,  છેવાડાના માનવીના ઉત્થાનનું ધ્યેય હૈયે રાખવા અનુરોધ પણ વાતચીત દરમ્યાન કર્યો હતો.

(11:53 pm IST)