Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કોંગ્રેસ નિરીક્ષકો મોકલી સેન્સ લેશે, પસંદગીમાં સભ્યોની લાગણીને અગ્રતા

નો-રીપીટની કોઇ પધ્ધતિ નકકી થઇ નથીઃ પ્રમુખ અમિત ચાવડા

રાજકોટ તા. ર૪ : ગુજરાતની અધિકાંશ તાલુકા-જિલ્લા પંચાયતોમાં સતા પર રહેલ કોંગ્રેસ દ્વારા પંચાયતના નવા પ્રમુખ, ઉપપ્રમુખની પસંદગી કરવા માટે જુનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેમાં બહુમતી સભ્યોની લાગણી નિર્ણાયક બને તેવા નિર્દષ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવેલ કે કોંગ્રેસ દ્વારા તાલુકા જિલ્લા પંચાયતના નવા સુકાનીઓ નકકી કરવા માટે સંભવત જુનના બીજા અઠવાડીયામાં પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકો મોકલી સભ્યોની સેન્સ લેવામાં આવશે સભ્યોની લાગણી મોવડી મંડળ ધ્યાને લેશે સભ્યોની સેન્સ ઉપરાંત પ્રથમ અઢી વર્ષની કામગીરી સહિતની બાબતો પણ ધ્યાને લેવામાં આવશે.

પદાધિકારીઓની પસંદગીમાં 'નો-રીપીટ' થિયરી જેવું કંઇ નક્કી થયાનું તેમણે નકાર્યુ હતું.

(4:12 pm IST)