Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા નજીક નિશાંત બંગ્લોઝ નજીક ફાયરિંગ :જમીન-મકાનની અદાવતમાં ગોળીબાર

 

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા નજીક નિશાંત બંગ્લોઝ પાસે ફાયરિંગ થયું છે મકાન અને જમીનની અદાવતમાં ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે.

  જાણવા મળતી વિગત મુજબ શહેરના વૈભવી વિસ્તાર ગણાતા સેટેલાઇટમાં બંદૂક બતાવીને ઘર ખાલી કરાવવા માટે કેટલાક શખ્સો આવ્યા હતા.પંદર દિવસ પહેલા આનંદનગર પોલીસ સ્ટેશનમાં વિવેક સુભાષ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વિવેક સુભાષ શાહ ઉપર આરોપ લગાવાયો હતો કે એક મકાન ત્રણ વ્યક્તિઓને વેચીને બાનાખત કર્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ સોનીનો આક્ષેપ છે કે આજે વહેલી સવારે તેના ઘરની બહાર વિવેક સુભાષ શાહ બંદૂક લઈને ઉભા હતા અને રાહુલ સોનીને જોતાંની સાથે વિવેક સુભાષ શાહ બંદૂક મૂકીને નાસી ગયો હતો. હિપોલીન પાઉડર કંપનીના માલિકે શ્યામલ ચાર રસ્તા નજીક આવેલો નિશાંત બંગ્લોઝ વેચી દીધો અને ત્યારબાદ અલગ-અલગ બાનાખત અને વેચાણ કરાર કરીને ત્રણ લોકોને વેચી દેતા આનંદનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ હિપોલીન પાઉડર કંપનીના ડિરેકટરો વિરુદ્ધ ગૂનો નોંધાયો હતો. જેની અદાવતમાં રાહુલ સોની સાથે ઘટના ઘટી હોય તેવો પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

(11:44 pm IST)