Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અમદાવાદમાં 41 પોલીસકર્મી અને અન્ય ફોર્સના 26 જવાનો પણ કોરોના સંક્રમિત : આશિષ ભાટિયા

લોકડાઉનના ચુસ્ત અમલ માટે પોલીસ સજજ્

 

અમદાવાદમાં કોરોનાના સંક્રમણનો ભોગ રાત દિવસ ફરજ બજાવતા પોલીસના જવાનો પણ બની રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદમાં 67 જવાનોને કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેમાં 41 પોલીસકર્મીઓ છે, જ્યારે અન્ય ફોર્સના 26 જવાનો છે

અમદાવાદના કોટ વિસ્તારમાં વકરતા કોરોનાને લઈને લગાવવામાં આવેલા કફ્ર્યુ આજથી હટાવી લેવામાં આવ્યો છે. જોકે લોકડાઉનન યથાવત છે અને લોકડાઉનના ચુસ્ત અમલ માટે પોલીસ સજજ્ હોવાનુ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કહ્યુ છે.

(12:28 am IST)