Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અમદાવાદના અનાજ દળવાની ઘંટીની દુકાનવાળાને કોરોના પોઝિટિવ: પુત્ર પણ દુકાનમાં કરતો હતો મદદ

સમરસ હોસ્ટેલમાં ખસેડાયા : પરિવારજનોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા

 

અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા અપેક્ષા એપાર્ટમેન્ટમાં રહેતા એક 45 વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વ્યક્તિ નિર્ણયનગર સેક્ટર-1માં રત્ન જ્યોત સોસાયટીની સામે અનાજ દળવાની ઘંટીની દુકાન ધરાવે છે.

  ઘાટલોડિયામાં લક્ષમણ ગઢ ટેકરાની પાછળ, ભૂમિ નગર સોસાયટીની સામેના ખાંચામાં આવેલા અપેક્ષા એપાર્ટમેન્ટમાં રહેતા અને ફ્લોર ફેક્ટરી ધરાવતા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સમરસ હોસ્ટેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વ્યક્તિના પરિવારજનોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. કોરોના ગ્રસ્ત વ્યક્તિનો દીકરો પિતા સાથે દુકાનમાં મદદ કરે છે.

(11:49 pm IST)