Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રાજ્યમાં કોરોનાની સારવારમાં પ્લાઝમાના ઉપયોગની ઐતિહાસિક પહેલને દરદીઓ દ્વારા પ્રોત્સાહક પ્રતિભાવ

અમદાવાદની એસ વી પી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે દર્દીઓને પ્લાઝમા આપ્યા પછી તેમની ઓકિસજનની જરૂરિયાત ઓછી થઈ

અમદાવાદ : ગુજરાતે કોરોના કેસના દરદીઓની સારવારમાં પ્લાઝમાના ઉપયોગની શરૂઆત કરીને સમગ્ર વિશ્વ અને દેશમાં આરોગ્ય સુખાકારી ક્ષેત્રે નવા કીર્તિમાન પ્રસ્થાપિત કર્યા છે.

અમદાવાદ ના આવા બે દર્દીઓને કનવલસન્ટ પ્લાઝમા આપ્યા પછી બે દિવસે આજે આ બે દર્દીઓ જે અગાઉ ઓકિસજન પર હતા તેમની ઓકિસજન જરૂરિયાત અન્ય કંટ્રોલ ગ્રુપ કરતા ઓછી થઈ છે.
આમ ગુજરાતે kovid 19 ની સારવાર પદ્ધતિમાં પ્લાઝમા નો ઉપયોગ કરીને આ ઐતિહાસિક પહેલ દ્વારા નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.

આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ એ આજે પ્રચાર માધ્યમો સમક્ષ આ  વિગતો આપતા જણાવ્યું કે કોરોનાની સારવાર માં કોરોના પોઝિટિવ માંથી કોરોના નેગેટિવ થયેલા વ્યક્તિના પ્લાઝમા આપવાની શરૂઆત કરવાની ઐતિહાસિક પહેલ કરી છે .

 આ માટે  ગુજરાત સરકારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા સમક્ષ આ અંગેની મંજૂરી આપવા રજૂઆત કરી હતી. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ તારીખ 17મી એપ્રિલે રાત્રે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી અને સાથે ગુજરાતને મંજૂરી પણ આપી હતી .

ગુજરાતે એક પણ દિવસનો વિલંબ કર્યા વિના તારીખ ૧૮મી એપ્રિલે કોરોના પોઝિટિવ માંથી નેગેટીવ થયેલા દર્દીના પ્લાઝમા કલેક્ટ કર્યા હતા અને જરૂરી તમામ પરીક્ષણો કર્યા હતા.
પ્લાઝમા દાતા તરફથી મળેલા કન્વલ્સન્ટ પ્લાઝમા અમદાવાદની એસવીપી હોસ્પીટલ માં કૉવીડ 19 ની સારવાર લઈ રહેલા બે દર્દીઓ એક 50 વર્ષના પુરુષ અને 50 વર્ષના એક મહિલા દર્દીને આપવામાં આવ્યા હતા. આજે બે દિવસ પછી આ બેય દરદીઓની ઓકિસજન ની જરૂરિયાત અન્ય કંટ્રોલ ગ્રુપ ની સરખામણીમાં ઓછી થઈ છે. આમ ગુજરાતે kovid 19 ની સારવાર પદ્ધતિમાં પ્લાઝમા નો ઉપયોગ કરીને આ ઐતિહાસિક પહેલ દ્વારા નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.

(11:08 pm IST)