Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અમદાવાદમાં કોરોનાનાં વધુ 169 કેસ નોંધાયા : કુલ 1821 પોઝિટિવ :24 કલાકમાં વધુ 14 લોકોના મોત: મૃત્યુઆંક 83

દિયાપુર, ઈસનપુર, ગોમતીપુર, વસ્ત્રાલ, નારોલ, નિકોલ, મણિનગર, બાપુનગર, કાલુપુર, ખાડિયા, ચાંદલોડિયા, વેજલપુર, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં નવા કેસ

અમદાવાદમાં 169 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે કુલ 1821 પોઝિટિવ કેસ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 લોકો મોતને ભેટ્યા છે. અને કુલ મૃત્યુંઆંક 83 થયો છે. નવા કેસ દિયાપુર, ઈસનપુર, ગોમતીપુર, વસ્ત્રાલ, નારોલ, નિકોલ, મણિનગર, બાપુનગર, કાલુપુર, ખાડિયા, ચાંદલોડિયા, વેજલપુર, ઘાટલોડિયા, થલતેજ, રાણિપ, અને દાણીલીમડામાંથી મળી આવ્યા છે. કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 1821 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને છેલ્લા 24 કલાકમાં 161 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને 14 દર્દીના મોત થયા છે.

(9:43 pm IST)