Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

આણંદમાં બે દર્દીઓએ કોરોનાને મ્હાત આપી: હોસ્પીટલના સ્ટાફે તાળીઓ વગાડી આપી વિદાય

આણંદ :કોરોનાના વધતા સંકટ વચ્ચે આણંદમાં બે દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, જેથી તેમને આણંદ જનરલ હોસ્પિટલમાંથી રજા આપવામા આવી છે. 30 વર્ષના સ્વાતિબહેન રાણા ખંભાતના વતની છે અને તેમને કોરોનાનું સંક્રમણ લાગતા તેઓને જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને સારવાર બાદ કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથ રજા આપવામાં આવી હતી. આ સમયે તબીબ, સ્ટાફ અને નર્સે તાળીઓના ગડગડાટથી તેમને વિદાય આપી હતી. જ્યારે કૃષ્ણ હોસ્પિટલાંથી મુખ્તિયાર ખાન પઠાણને પણ રજા આપવામાં આવી. તેઓ જિલ્માં કોરોનાના પ્રથમ દર્દી હતા.

(9:05 pm IST)