Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં રસ્તામાં ઈંટ મુકવા જેવી નજીવી બાબતે ઝઘડો કરી માતા-પુત્રને ઢોર માર મારનાર 4 નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ:શહેરના લોટીયા ભાગોળ ખાતે આવેલી ખોડીયાર માતાની પોળમાં ગઈકાલે સાંજના સુમારે રસ્તામાં ઈંટો મુકવાની બાબતે ચાર શખ્સોએ ઝઘડો કરીને માતા-પુત્રને માર મારતાં અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી સુનીલભાઈ અરવિંદભાઈ ચાવડા પાણીના જગ વેચીને જીવન ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના સુમારે રસ્તામાં ઈટો મુકી હોય નજીકમાં રહેતા મહેશભાઈ મંગળભાઈ ચૌહાણે ઈંટો હટાવી લેવા બાબતે ઝઘડો કર્યો હતો. તેમનું ઉપરાણું લઈને ચિરાગભાઈ મહેશભાઈ ચૌહાણ, વિમળાબેન મહેશભાઈ ચૌહાણ અને જગદીશભાઈ ચંદુભાઈ ચાવડા આવી ચઢ્યા હતા. છુટી ઈંટ મારતાં સુનીલભાઈને કપાળના ભાગે વાગતા લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. સુનીલભાઈની માતા ઈન્દિરાબેન વચ્ચે પડતાં તેણીને નીચે પાડી દઈને ઢસડીને ગડદાપાટુનો માર માર્યો હતો. જેને લઈને ડાબા કાન નીચે પણ ઈજાઓ થવા પામી હતી. ઘવાયેલા બન્નેને સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાન દ્વારા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અંગે આણંદ શહેર પોલીસે ચારેય વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

(5:49 pm IST)