Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કાળઝાળ ગરમીમાં વોર્ડમાં પંખા બંધ હોવાથી દર્દીઓને ભારે હાલાકી:સેવાભાવી વ્યક્તિએ 15 પંખાનું દાન કર્યું

સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલને કોરીડ-19 હોસ્પિટલમાં તબદીલ કરી છે ત્યાં કોરોના સામે લડી રહેલા દદીઓને વિવિધ વોર્ડમાં શિફટ કરાયા છે તેવા સમયે કાળઝાળ ગરમીમાં વોર્ડમાં કેટલાક પંખા બંધ હોવાથી દર્દીઓ હાલાકી વેઠી રહ્યા હોવાની જાણ સેવાભાવી વ્યક્તિને થતા 15 પંખાનું દાન કર્યું છે

નવી સિવિલ હોસ્પિટલને હાલ કોવિડ-19 ફેરવી દીધી છે જેથી કોરોના ના દર્દીઓને યોગ્ય સારવાર અને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ છતાં દર્દીને યોગ્ય સુવિધા મળતી નહિ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે જોકે દર્દીઓની પૌષ્ટિક આહાર મળી રહે તે માટે સેવાભાવી સંસ્થા અને હોટલ ભોજનની વ્યવસ્થા કરી છે.

(5:45 pm IST)