Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

લોકડાઉનના સમયમાં આર્થિક તંગીથી કંટાળી સુરતના યુવાને ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: લોકડાઉનની વચ્ચે આર્થિક સંકડામણ અનુભવતા કતારગામમા ગઈકાલે યુવકે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલ મળેલી વિગત મુજબ કતારગામ ખાતે હરી હરી સોસાયટીમાં રહેતા 39 વર્ષીય તરુણભાઈ રમણભાઈ મૈસુરીયાએ ગઈકાલે બપોરે ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઘો હતો.

જોકે રૂમમાં તરુણને જમવા માટે બોલાવવા તેમના પિતા ગયા હતા. રમણભાઈ રૂમનો દરવાજો ખોલતા સામે પુત્રનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોઈને હેબતાઇ ગયા હતા. તેથી તેમને ઉતારી ને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

(5:44 pm IST)