Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

વડોદરાની એસએસજી હોસ્પિટલની બેદરકારી સામે આવી:કોરોનાનો દર્દી કેન્ટીનમાં કરી રહ્યો છે ભોજન: અનેક લોકોના જીવને જોખમ

વડોદરા: કોરોનાને કાબુમાં કરવા માટે તંત્ર દિવસ રાત પરસેવો પાડી રહ્યું છે બીજી તરફ હોસ્પિટલોની બેદરકારી કોરોનાને ફેલાવવા માટે કારણભૂત થઇ રહી છે. વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં આવી એક ગંભીર ભુલ સામે આવી છે. બુધવારે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોરોનાના શંકાસ્પદ દર્દીએ વોર્ડમાંથી બહાર નીકળીને હોસ્પિટલની કેન્ટિનમાં ભોજન કર્યુ હતુ યુવકનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા લોકોમાં ફફડાય ફેલાઇ ગયો છે.

રાવપુરા, ખોડિયાર મહોલ્લામાં રહેતા ૧૯ વર્ષના હર્ષ સુનિલા કહારને બુધવારે કોરોનાના લક્ષણો સાથે એસએસજી હોસ્પિટલમા દાખલ કરાયો હતો અને તેનું સેમ્પલ લઇને લેબમાં મોકલાયુ હતું. હર્ષના છઠ્ઠા માળે આવેલા કોરોનાના ખાસ વોર્ડમાં ભરતી કરાયો હતો. નિયમ મુજબ દર્દીનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી તેને ત્યાથી બહાર નીકળવા પર પ્રતિબંધ હોય છે તેમ છતાં બુધવારે હર્ષ બપોરે છઠ્ઠા માળેથી લિફ્ટમાં નીચે ઉતરીને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હોસ્પિટલની કેન્ટિનમાં પહોંચ્યો હતો અને ભોજન લઇને પરત વોર્ડમાં ગયો હતો.

(5:39 pm IST)