Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

હવે રાજયમાં માત્ર ૩ જિલ્લાઓ જ કોરોના વગરનાઃ અમરેલી, દ્વારકા અને જુનાગઢ

ગાંધીનગર તા. ર૪ : કોરોનાએ ગુજરાતને સકંજામાં લીધું છે જે રીતે કેસો જ નહી  પણ કોરોનાનો મૃત્યુઆંક વધી રહ્યો છે.તે જોતા ગુજરાતની પરિસ્િથિતી વણસી રહી છે કોરોનાએ ગુજરાતના ૩૦ જિલ્લાઓને ઝપટમાં લઇ લીધા છે. મોટા ભાગના કેસ અમદાવાદ, વડોદરા, અને સુરતમાં જોવા મળી રહ્યા છે. આ વિસ્તારોમં દરરોજ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. જો કે, સારી વાત એ હતી કે અત્યાર સુધી અમુક જિલ્લાઓ એવા હતા જયાં એક પણ કોરોનાનો કેસ આવ્યો નહોતો.

અત્યાર સુધી કોરોનાથી મુકત રહેુ સુરેન્દ્રનગરમાં પણ હવે પ્રથમ કેસ આવી ગયો છે. જો કે, હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાનો પ્રથમ કેસ આવ્યોછે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં એક ૬૧ વર્ષિય વ્યકિતમાં કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે આ જિલ્લો પણ બાકાત થતાં હવે માત્ર ૩ જિલ્લા જ બાકી રહ્યા છે. ઉપરાંત ડાંગ જિલ્લામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. મુળ ડાંગની એક યુવતીને કોરોના પોઝીટીવ થયા હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં ર૯ જિલ્લામાં કોરોનાએ પગપેસોરો કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખાતુ ખુલો ગયું છે. હવે માત્ર અમરેલી, - જુનાગઢ અને દ્વારકા જિલ્લોજ કોરોનાની એન્ટ્રી વગરનો રહ્યો છે.

(4:06 pm IST)