Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

સુરતમાં કોરોનાએ વધુ એક દર્દીનો ભોગ લીધો : મૃત્યુઆંક 14 થયો

ત્રણ દિવસ પહેલા દાખલ થયેલી કોરોના પોઝિટિવ મહિલાનું મોત

સુરત :શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધવા સાથે મરણાંક પણ વધી રહ્યો છે. શહેરમાં ત્રણ દિવસ પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા દાખલ કરવામાં આવેલી મહિલાનું મોત થયું હતું. આ સાથે શહેરમાં કોરોનાના કારણે મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા 14 થઇ છે.

 મળતી વિગત મુજબ શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતા સવિતાબેન વિજયકુમાર નાગરને ગત તારીખ 21મી એપ્રિલના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. જેના કારણે સુરત શહેરમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 14 થઇ ગઇ છે. આ સિવાય સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ 554 દર્દીઓ નોંધાયા છે. રાહતની વાત એ છે કે, ગત રોજથી આજે સવાર સુધીમાં સુરત જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

(1:29 pm IST)