Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

સુરતનાં પાંડેસરામાં સિવિલ હોસ્પિટલનાં દવાની બારીનાં ફાર્માસિસ્ટનો રિપોર્ટ પોઝિટીવ:ખળભળાટ

નવી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો

સુરત : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે સુરતમાં પણ કોરોનાનો નવો કેસ સામે આવતા હડકંપ મચ્યો છે. જેમાં નવી સિવિલમાં દવાની બારી પર ફરજ બજાવતા ફાર્માસિસ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ફાર્માસીસ્ટ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહે છે.

  બે દિવસ પહેલા તેનામાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાયા હતા જેથી તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા..હાલ તેમનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આઈસોલેશન વોર્ડમાં તેની સારવાર ચાલી રહી છે.

(12:46 pm IST)