Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

મોડાસાની સબજેલમાં કેદીઓને પણ આયુર્વેદિક ઉકાળો વિતરણ કરાયો

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ : અરવલ્લી જિલ્લામાં સબજેલ મોડાસા ખાતે સ્ટાફ તથા કેદીઓને આયુર્વેદ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ આજરોજ ઉકાળો બનાવીને વિતરણ કરવામાં આવ્યું હતું કુલ લાભાર્થી 150 હતા.જ્યારે .મોટી બેબાર તા.ભિલોડા ખાતે ગ્રામજનોનાં સહકારથી આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.અરવલ્લી જિલ્લા આયુર્વેદ ઓફીસર ડો.પુષ્પાબેન ખરડીના માર્ગદર્શન હેઠળ અને આયુષ મંત્રાલયના નિયમોનુસાર જિલ્લામાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ થઈ રહ્યું છે

(9:36 am IST)