Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અમદાવાદ,રાજકોટ અને સુરત સવારે 6 વાગ્યાથી કર્ફ્યુ મુક્ત : લોકડાઉનનો અમલ યથાવત રહેશે

સમયગાળો પૂર્ણ થતા સવારથી તમામ કરફ્યુગ્રસ્ત વિસ્તારો મુક્ત થશે

અમદાવાદ : સરકાર દ્વારા નિર્ણય લઈને પોલીસ દ્વારા લગાવવામાં આવેલો કર્ફ્યુ સવારે 6 વાગ્યાથી ઉઠી જશે. 24/04/2020ના રોજથી કર્ફ્યુની મુદત પુરી થતી હોઈ સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે

    કોરોનાને કંટ્રોલ કરવા માટે શિવાનંદ ઝાએ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. જેનો સમયગાળો 24/04/2020ને સવારે છ વાગે પૂર્ણ થયો છે. જેથી સવારે 6 વાગ્યાથી તમામ કર્ફ્યુ ગ્રસ્ત વિસ્તારો મુક્ત થશે. પરંતુ  લોકો ખુલ્લેઆમ ફરી શકશે. લોકડાઉનના અમલને પગલે કોઈ ઘર બહાર નીકળી શકશે નહીં

(11:13 pm IST)