Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

બીમારીથી કંટાળીને સુરતના શાળા સંચાલક હિતેશ કાતરીયાએ કરી આત્મહત્યા

સુરત : શહેરના કતારગામ ખાતે આવેલ પંડોળ કેશવ પાર્કમાં રહેતા હિતેશ કાતરીયા નામના શાળાના સંચાલકે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. ગળેફાંસો ખાઇને હિતેશ કાતરીયાએ આત્મહત્યા કરી લીધી છે.

હિતેશ કાતરીયા પાંચ સ્કૂલોના માલિક છે અને સાત વર્ષથી તેઓ પેરાલિસીસના રોગથી પીડાતા હતા. પેરાલિસીસની બીમારીથી પરેશાન થઇને ગળેફાંસો ખાઇને હિતેશ કાતરીયાએ આત્મહત્યા કરી હોવાનું જાણકારોમાં ચર્ચાઇ રહ્યું છે.

(1:30 pm IST)