Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

મહુધા તાલુકાના ધંધોડી નજીક નજીવી બાબતે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: સામસામે થયેલ મારામારીમાં 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહુધા: તાલુકાના ધંધોડી તેમજ નડિયાદ તાલુકાના ગેંદાલપુરામાં બનેલા મારામારીના જુદા-જુદા બે બનાવોમાં કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની ફરિયાદ જે તે પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના ધંધોડી ગામમાં આવેલ ખ્રિસ્તી ફળીયામાં રહેતાં કાંતિભાઈ ક્રિષ્નાભાઈ ખ્રિસ્તી અમદાવાદમાં સબંધીના લગ્નપ્રસંગમાં હાજરી આપી ગતરોજ સાંજના સમયે પોતાના ઘરે આવ્યાં હતાં. તે વખતે તેમના પુત્રનો સાળો ગુણવંતભાઈ મુળજીભાઈ પરમારે (રહે.વીણા,તા.નડિયાદ) તેમના ઘરમાં કોઈ કારણોસર તોડફોડ કરી ટીવી,કબાટ,તિજોરીનો કાચ સહિતની વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હતું. આ બાબતે કાંતિભાઈ ખ્રિસ્તીએ ઠપકો આપતાં ઉશ્કેરાયેલા ગુણવંતભાઈ પરમારે હાથમાંની લાકડી કાંતિભાઈ અને તેમના પુત્રને મારી ઈજા પહોંચાડી હતી.

(5:20 pm IST)