Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

રાજ્ય સરકાર દ્વારા રોજના ૭૦ હજાર જેટલું કોરોના ટેસ્ટિંગ : વિદેશ થી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ : રાજ્યમાં બે ડોઝ ની ૮૫ ટકા અને એક ડોઝમાં ૯૫ ટકા કામગીરી પૂર્ણ : ભૂપેન્દ્રભાઈ પટેલ

રાજ્યમાં કોરોના અને ઓમિક્રોન ની પ્રવર્તમાન સ્થિતિની મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા

રાજકોટ તા.૨૩ : રાજ્યમાં કોરોના અને ઓમિક્રોન ની પ્રવર્તમાન સ્થિતિની  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

   આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ,રાજ્યમંત્રી નિમિષા બહેન અને મુખ્યમંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર  સહિત આરોગ્ય અને ગૃહ વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા  રોજના 70 હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવે છે.

તેમણે ભારત સરકાર ની ગાઈડ લાઇન્સ મુજબ  વિદેશ થી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને કરે  તેના કાર્ય આયોજનની બેઠકમાં સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં જણાવાયું કે રાજ્યમાં  બે ડોઝ ની  85 ટકા અને એક ડોઝમાં 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

(11:41 am IST)