Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

રાજય વેરા GSTના ૪ અધિકારીઓની બદલી

૧૨૪ કલાર્કની યંત્ર નિરીક્ષક તરીકે બઢતીઃ રાજકોટના ગોહિલ દાહોદ અને સોલંકી વેરાવળ મૂકાયા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.૨૩: મુખ્ય રાજય વેરા કમિશ્નરે રાજય વેરાના ૪ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. મહેસાણા મોબાઇલ સ્કવોડના કે.ડી.પ્રજાપતિને પોરબંદર, સુરતના જે.એલ.વાઘાણીને કપડવંજ, રાજકોટના મોબાઇલ સ્કવોડના કે.એમ.ગોહિલને દાહોદ ઘટક ૪૭ અને રાજકોટના મોબાઇલ સ્કવોડના એ.એમ.સોલંકીના સહાયક રાજય વેરા, કમિશ્નર સોલંકીના સહાયક રાજય વેરા કમિશ્નર કચેરી ઘટક ૮૭, વેરાવળ ખાતે નિમણૂંક આપવામાં આવી છે.

ઉપરાંત ૧૨૪ સિનિયર કલાર્કને રાજયવેરા, નિરક્ષક તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાનાં કેટલાકની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. બઢતી મેળવનારાઓમાં સૌરાષ્ટ્રમાંથી નારણભાઇ મેતા, અમીતભાઇ ગમારા, જયેન્દ્રકુમાર ચુડાસમા, મનુભાઇ જેઠવા, પ્રદીપકુમાર ચુડાસમા, રીનાબા જાડેજા, સંદીપ અઘેરા, દિનેશ શુકલ, સુખદેવ ભાટી, હસમુખ ધંધુકીયા, વિક્રમસિંહ જાડેજા, અજયકુમાર મહેતા, ઉત્વેશ ભટ્ટ,  ચેતન ભટ્ટ, બિપીન પુરોહિત, વિજય રાવલ, કુંજલ ધોળકિયા વગેરેનો સમાવેશ થાય છે.

(11:07 am IST)