Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

નડિયાદના સંતરામ મંદિરે 1 લાખ 21 હજાર દિવડાનો શણગાર:હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

દેવદિવાળીએ ભક્તો દ્વારા સમગ્ર મંદિર પરિસરને દિવડાથી સજાવવામાં આવ્યું

 

નડિયાદના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરે દેવ દિવાળીના દિવસે 1 લાખ 21 હજાર દિવડાનો શણગાર કરાયો છે. ભક્તો દ્વારા સમગ્ર મંદિર પરિસરને દિવડાથી સજાવવામાં આવ્યું હતું, આ દિવ્ય નજારો જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. એક લાખ એકવીસ હજાર દીવડાઓના આ પ્રકાશથી સમગ્ર મંદિર ઝળહળી ઉઠ્યું હતું. આ સાથે જ આકાશમાં આતશબાજી કરવામાં આવી હતી. 

મંદિરના મહંતના જણાવ્યા મુજબ તેલ અને ઘીથી આ દિવા કરવામાં આવતા હોય છે. હિન્દુ સંસ્કૃતિમાં દિવા અને પ્રકાશનું અનેરૂ મહત્વ રહેલું છે. કેહવાય છે કે આ દિવડાનું અજવાળું મનુષ્યના જીવનમાં દુખના અંધકાર દુર કરી સુખનો પ્રકાશ ફેલાવતું હોય છે.  છે

(1:06 am IST)