Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

અમદાવાદના વૈષ્ણોદેવી- ઝુંડાલ રોડ પર ત્રીપલ અકસ્માતમાં બે લોકોના મોત, એક મહિલા ઘાયલ

લક્ઝરી બસે બસે બે સાઈકલ ચાલક, એક રીક્ષા અને એક કારને લીધી અડફેટે

 

અમદાવાદના ઝુંડાલ- વૈષ્ણોદેવી રોડ પર ત્રાગડ ગામ નજીક ત્રિપલ  અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં, જ્યારે એક મહિલા ઘાયલ થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

  પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ ઝુંડાલથી વૈષ્ણોદેવી જવાના માર્ગ ઉપર એક યુવક અને યુવતી ભાડાની સાઈકલ લઈને સાઈકલિંગ કરવા નિકળ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટોરેન્ટ ફાર્માની બસે સૌથી પહેલાં તેમને અડફેટે લીધા હતા. ત્યાર બાદ બસે આગળ જતી એક કાર અને રીક્ષાને પણ ટક્કર મારી હતી.

  સાઈકલ પર જઈ રહેલા યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે ઘાયલોને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટ દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ હાલ જાણવા મળ્યું નથી. 

 

(12:51 am IST)