Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

વડોદરામાં ભગવાન નરસિંહજીના વરઘોડામાં પહોંચ્યા મુખ્યમંત્રી

વરઘોડામાં પ્રથમ વખત મુખ્યમંત્રીની હાજરીથી લોકો ગદગદ :રૂપાણી પગપાળા મંદિર ગયા : રસ્તામાં લોકોએ લાલજાજમ બીજાંવી ફૂલોથી કર્યું સ્વાગત

 

વડોદરા: દેવ દિવાળી નિમિત્તે યોજાતા ભગવાન નરસિંહજીના વરઘોડામાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા. વર્ષે નરસિંહજીના વરઘોડામાં રાજયના મુખ્યપ્રધાન હાજર રહ્યા હોય તેવી પ્રથમ ઘટના બની હતી. પ્રસંગે વિજયભાઈ  રૂપાણીએ વિધાનસભા અધ્યક્ષ કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી.

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ત્યાંથી પગપાળા નરસિંહ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં રસ્તામાં લોકોએ તેમનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. અને સમગ્ર રસ્તા પર લાલજાજમ બિછાવી હતી.

(12:24 am IST)