Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સમર્પણ ગ્રાઉન્ડમાં શંકરસિંહ વાઘેલાનું સ્નેહમિલન : મંડપની ઝાલર ભગવા કલરની જોઈ 'બાપુ 'ચોંક્યા

શંકરસિંહજીએ ભગવો કલર હટાવી દેવા કર્યું સૂચન

ગાંધીનગરના સેકટર આઠમાં આવેલા સમર્પણ ગ્રાઉન્ડમાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા દ્વારા સ્નેહ મિલન નું આયોજન થયું છે  કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા સહિત તેમના મોટાભાગના સમર્થકો હાજરી આપવાના છે. બાપુ મંચ પરથી કોઈ નવી રાજકીય જાહેરાત કરે તેવી શક્યતા છે

 સ્નેહમિલન કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ બાપુ કામકાજની સમીક્ષા કરવા માટે સમર્પણ મેદાન પહોંચ્યા હતા. અહીં મંડપ ડેકોરેશનની છતની ઝાલર ભગવા કલરની કરી દેતા મંડપ ભગવા કલરનું લાગતું હતું. જો કે વાત બાપુના ધ્યાને આવતા તેમણે ભગવો કલર દૂર કરવાનું સૂચન કર્યું હતું.

(12:08 am IST)