Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

અમદાવાદમાં અગાઉ 1.25 લાખની છેતરપિંડીનો ભોગ બનનાર યુવતીએ સીઆઇડી ક્રાઇમના દરવાજા ખખડાવ્યા

અમદાવાદ:૨૬૦ કરોડની છેતરપિંડીના કેસમાં મણીનગરમાં રહેતી એક યુવતીએ કૌભાંડી વિનય શાહ અને એજન્ટ વિરૃધ્ધ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરી છે.

મણીનગરમાં રહેતા હિરલબહેન વૈધે પાંચેક મહિના અગાઉ મણીનગરમાં રહેતા મિહીર રાવ મારફતે આર્ચર કેર કંપનીમાં રૃ. ૨૫,૦૦૦ નાં પાંચ એકાઉન્ટ ખોલાવ્યા હતા. આમ તેમણે કંપનીમાં રૃ. ૧,૨૫,૦૦૦ નું રોકાણ કર્યું હતું.

દશેરા વખતે મિહીર રાવે  કંપની ગોલ્ડ કોઈન આપશે એવી લાલચ આપી હતી. બિરલબહેનની ફરિયાદ મુજબ તેમના મુખ્ય એજન્ટ મિહીર રાવ હતા અને તેમને જ પૈસા આપ્યા હતા. જોકે તેમણે કોઈ રિસીપ્ટ આપી ન હતી.

જેને પગલે તેમણે એજન્ટ મિહીર રાવ અને કંપનીના માલિક વિનય શાહ વિરૃધ્ધ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:00 pm IST)