Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સંવેદનસ્પર્શી ભાવઃ રજત તુલાની રકમ હોસ્પિટલને અર્પણ કરાશે

ગાંધીનગર, તા.૨૩: વડતાલ સ્વામિનારાયણ ધામમાં તેમની રજત તુલામાં મળેલી ચાંદીની વેચાણ રકમ વડતાલ સ્વામિનારાયણ ધામ સંચાલિત હોસ્પિટલમાં સુવિધાઓ વિકાસ કામો માટે આપવાનો જન આરોગ્ય સેવાલક્ષી અભિગમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દર્શાવ્યો છે.

કાર્તિકી સામૈયા અવસરે મુખ્યમંત્રીશ્રી એ વડતાલ માં ૨ કરોડ ૩૬ લાખ ના ખર્ચે નવનિર્મિત બસ મંદિર બસ મથકનુ લોકાર્પણ કર્યુ હતું આ બસ મથક વડતાલ સ્વામી નારાયણ મંદિર જેવું બનાવાયું છે.

વિજય ભાઈ રૂપાણીએ મંદિર જેવી સ્વચ્છતા પવિત્રતા બસ મથકોમાં શાળા કોલેજોમાં આરોગ્ય સંકુલોમાં જળવાય તે માટે આ બસ મથક મોડેલ રૂપ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો છે.

(8:17 pm IST)