Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

જય સ્વામિનારાયણ... ધર્મગ્રંથ પર ૨૩૦૦ કિલો સૂકામેવાનો અભિષેક

રાજકોટ : વડતાલધામને પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ ્દવારા અર્પણ થયેલા અને ટાઇટેનીયમ ધાતુમાંથી કંડારાયેલા મહામૂલા શ્રી હરિચરિત્રામૃતસાગર ગ્રંથ પર ગઇકાલે રાત્રે વિશાળ સંતવૃંદ અને સત્સંગીઓની ઉપસ્થિતિમાં ૨૩૦૦ કિલો સૂકામેવાથી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. રાત્રીના સમયે થયેલો આવો આટલો મોટો અભિષેક પ્રથમ હતો. આ અભિષેક પ્રસંગના યજમાન હતા મૂળ ખાંધલીના અને હાલ અમેરિકા રહેતા નરેન્દ્રભાઇ પટેલ જેઓએ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી આ અલભ્ય લાભ લીધો હતો તેમજ બીજા ઘણા બધા ભાઇ-બહેનો ગ્રંથરાજ પર આ સૂકામેવાની વર્ષા ૨૩૦૦ કિલો ઉપર પહોંચી હતી. ગ્રંથ ઉપર અભિષેક કરવાનો લ્હાવો કથામંડપમાં બેઠેલા તમામ સંતો - પાર્ષદો તથા હરિભકતોને મળ્યો હતો. આ સૂકોમેવો પ્રસાદરૂપે તમામ ભકતજનોને વહેંચવામાં આવ્યો હતો.(૨૧.૧૬)

(1:49 pm IST)