Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સુરતના ઓલપાડમાં શાળાના સમયમાં ફેરફાર કરાતા વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા

શાળાના સમયમાં ફેરફારથી ટ્યુશન સહિતની સમસ્યા :સંચાલકોએ માંગ સ્વીકારતા મામલો થાળે પડ્યો

સુરતના ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં શાળાના સમયમાં ફેરફાર કરાતા વિવાદનો વંટોળ ઉઠયો છે. શાળા સંચાલકોએ શાળાના સમયમાં ફેરબદલ કરાતાં સ્કૂલનાં વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા છે. આ મુદ્દે વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા

  સ્કૂલે સવારના 7.30ના સમયને બદલીને 10.30 નો કરવાને કારણે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ વિફર્યા હતા અને સ્કૂલના ગેટ બાહર દેખાવો કર્યા હતા  વિદ્યાર્થીઓના કહેવા મુજબ આ સમય પરિવર્તનને કારણે તેઓને ટયુશન સહિત ઘણી સમસ્યાઓ સહન કરવી પડે છે. જોકે ભારે વિરોધ બાદ સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓના હિતમાં માંગણીનો સ્વીકાર કરાતાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ શાંત થયાં હતાં.

(11:00 pm IST)