Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

દારૂના ગુનામાં સંડોવાયેલા ધરમપુરના બુટલેગર પંકજ ઉર્ફે પપ્પુ ચેતન રબારીને પાસામાં પુરાયો : રાજકોટ જેલહવાલે

વલસાડ એસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ બુટલેગરો પર તવાઇ લાવવાની સૂચના આપી:એલસીબીએ ધરમપુરના બુટલેગર પંકજ ઉર્ફે પપ્પુ ચેતન રબારી વિરૂદ્ધ પાસાની દરખાસ્ત કરી: એલસીબી પીઆઇ ડી. ટી. ગામિત, એએસઆઇ મિયામહમદ શેખ, સતિશ સયાજી, પ્રમોદ સાલીગ્રામ, સ્વપ્નીલ હેમંતભાઇ, મહેન્દ્રદાન જીલુભા વગેરે પંકજને પકડી પાડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ એલસીબીએ ધરમપુરના કુખ્યાત બૂટલેગર પંકજ ઉર્ફે પપ્પુને પકડી પાડી તેને પાસા હેઠળ રાજકોટની જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
વલસાડ એસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ બુટલેગરો પર તવાઇ લાવવાની સૂચના આપી હતી. જેના પગલે એલસીબીએ ધરમપુરના બુટલેગર પંકજ ઉર્ફે પપ્પુ ચેતન રબારી વિરૂદ્ધ પાસાની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને મંજૂરી મળતાં વલસાડ એલસીબી પીઆઇ ડી. ટી. ગામિત, એએસઆઇ મિયામહમદ શેખ, સતિશ સયાજી, પ્રમોદ સાલીગ્રામ, સ્વપ્નીલ હેમંતભાઇ, મહેન્દ્રદાન જીલુભા વગેરે પંકજને પકડી પાડ્યો હતો અને તેને પાસા હેઠળ રાજકોટની જેલમાં ધકેલી દીધો હતો

(6:59 pm IST)