Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વલસાડમાં શાળામાં દાદર ઉતરતી વેળાએ ખેંચ આવતા ધો.11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મોતને ભેટી

વલસાડ:ની અંગ્રેજી માધ્યમની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી વદ્યાર્થીનીને દાદર ઉતરતી વખતે અચાનક ખેંચ આવી હતી. જેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી હતી.

વલસાડ અબ્રામા સ્થિત સુધાનગરમાં રહેતી મરજીયા મહમદ હનિફ સૈયદ (ઉ.વ.૧૫) વલસાડ અબ્રામા સ્થિત સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહી હતી. આજે સવારે ૧૦ વાગ્યાના સમયે તેણી સ્કૂલના દાદર ઉતરતી હતી ત્યારે અચાનક ખેંચ આવી ગઇ હતી. જેને લઇ સાથી વિદ્યાર્થીઓ ડઘાઇ ગઇ હતી.

આ ઘટના બાદ મરજીયાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, પરંતુ તેનું મોત નિપજ્યું હતુ. આ ઘટના સંદર્ભે ડોક્ટરે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માત મોત મુજબ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:51 pm IST)