Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

સુરતથી ગારિયાધાર જતી બસને અકસ્માત:ચાર લોકોના કરૂણમોત : માંડવા ચોકડી પાસે ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ

સુરતથી સૌરાષ્ટ્ર તરફ ગારિયાધાર જઈ રહેલી લક્ઝરી બસને વહેલી સવારે માંડવા ચોકડી પાસે ભયાનક અકસ્માત નડ્યો હતો. આ બસ આગળ જઈ રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા ચાર મુસાફરોના કમકમાટીભર્યા મોત થયા છે. મૃતકોમાં બે પુરુષ, એક મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે. બસમાં સવાર કેટલાક મુસાફરો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત પણ થયા છે, જે તમામને સિવિલ હોસ્પિટલ તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડાયા છે.

(4:24 pm IST)